Jul 13, 2024

ગુજરાતી ભાષા નો ઈતિહાસ, History of Gujarati language

 

ગુજરાતી ભાષાનો જન્મ ઈ.સ. ૧૧૩૫માં થયો. 


ગુજરાતી ભાષાનો સર્વ પ્રથમ વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન હતો જે ઈ.સ. ૧૧૩૫ માં લખાયો. ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા ભરતેશ્વર બાહુબલી રાસ હતી જે ઈ.સ. ૧૧૮૫માં લખાઈ.


વિસ્તૃતમાં: -

પુર્વાધ (પૂર્વ ભુમિકા): -

તત્કાલિન સ્વતંત્ર રાજ્ય ગુર્જર પ્રદેશ (પ્રવર્તમાન ગુજરાત રાજ્ય)માં સોલંકી વંશના સંસ્થાપક અને પ્રથમ શાસક મૂળરાજ સોલંકી (જન્મ : - ઇ.સ. ૯૪૦, મૃત્યુ :- ઇ.સ. ૧૦૦૮), (આયુષ્ય :- ૬૮ વર્ષ) ને તત્કાલિન સ્વતંત્ર રાજ્ય માળવા (પ્રવર્તમાન મધ્ય પ્રદેશ રાજ્ય)ના પરમાર વંશના આઠમા શાસક વાકપતિ મુન્જ (પૃથ્વી વલ્લભ) (જન્મ : - ઈ.સ. ૯૪૮ , મૃત્યુ :- ઈ.સ. ૧૦૧૦), (આયુષ્ય :- ૬૨ વર્ષ)ને પોત-પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે વિસ્તારવારની નીતિને કારણે ઈ.સ. ૯૭૨થી ઈ.સ. ૯૯૦ વચ્ચેના ૧૮ વર્ષ માં લગભગ ૮ વાર યુદ્ધ થયાં હતાં. આ શત્રુતા તેમના વંશની આઠ-આઠ પેઢી સુધી ચાલતી રહી.


અંતમાં સતત ૪૮ વર્ષ સુધી ગુજરાત રાજ્યનું સ્થિર શાસન કરનાર, ગુજરાતના ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાતાં અને બર્બરીક જીષ્ણુ અને સિધ્ધરાજ એવા અનેક ઉપનામ મેળનાર તથા પ્રત્યેક યુદ્ધ સદા-સર્વદા હિમાલય પર્વતની જેમ અપરાજેય રહેનારા સોલંકી વંશના મહાપરાક્રમી અજેય રાજા સિદ્ધરાજ જયસિંહ (જન્મ : - ઈ.સ. ૧૦૮૦, મૃત્યુ :- ઈ.સ. ૧૧૪૪, વિક્રમાદિત્ય સંવત્સર :- ૧૨૦૦, કૃતિકા (કારતક) શુક્લ (સુદ) દ્વિતિયા (બીજ) એટલે કે ભાઈબીજનો દિવસ), (આયુષ્ય : - ૬૪ વર્ષ) અને પરમાર વંશના યશવર્મન/અનંતવર્મન ( શાસન કાળ : - ઈ.સ. ૧૦૩૦ - ઈ.સ. ૧૦૪૨) સમકાલીન શાસકો હતા.


મૂળ વિષય વસ્તુ :-

ઈ.સ. ૧૦૯૨માં સિધ્ધરાજ જયસિંહની ઉંમર ૧૨ વર્ષ હતી ત્યારે સતત ૨૮ વર્ષથી સ્થિર શાસન કરી રહેલાં તેમના પિતા કર્ણ દેવ સોલંકીનું ૫૪ વર્ષની ઉંમરે મૃત્યુ થયું. સિધ્ધરાજ જયસિંહ હજું ૧૬ વર્ષના થયા ન હતાં તેથી તેમના માતા રાજમાતા મિનળદેવી રાજ્યનો કારભાર સંભાળતા હતાં. ઈ.સ. ૧૦૯૬માં સિધ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક થયો અને ૪૮ વર્ષ સુધી અખંડ શાસન કર્યું. આ દરમિયાન અનેક યુધ્ધ થયાં પરંતુ સિધ્ધરાજ જયસિંહ સદા સર્વદા અપરાજિત રાજા રહ્યા.


ઈ.સ. ૧૧૩૫માં રાજમાતા મિનળદેવી ભગવાન શ્રી કૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારિકાની તીર્થ યાત્રાએ ગયા અને પાછા વળતાં સમયે સિધ્ધરાજ જયસિંહ પોતાની માતાને સામેથી તેડવા ગયા.


ધંધુકા નગરમાં મા-દીકરાનો સુખદ મેળાપ થયો પરંતુ ત્યાં જ ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા હતા કે રાજાની ગેરહાજરી હોવાથી રાજધાની "અણહિલવાડ" (પ્રવર્તમાન પાટણ નગર) ઉપર માળવાના રાજા યશવર્મન/અનંતવર્મનએ સમસ્ત સૈન્ય સહિત પૂર્ણ શક્તિથી આક્રમણ કર્યું હતું. એકપણ યુદ્ધ ન હારેલા રાજા સિધ્ધરાજ જયસિંહ ફરી એકવાર માળવાના રાજા યશવર્મન/અનંતવર્મનને પરાજિત કરે છે. (ઈ.સ. ૧૧૩૫). હારેલો રાજા જીતેલા રાજાની આધિનતા સ્વીકારે છે અને પ્રત્યેક વર્ષ ખંડણી ભરવાનું નક્કી કરે છે, પરંતુ હારેલો રાજા યશવર્મન/અનંતવર્મન જીતેલા રાજા સિદ્ધરાજ જયસિંહને મહેણું મારે છે, "હે રાજન! તારા સમૃદ્ધ ગુર્જર પ્રદેશમાં તમારા રાજ્યની કોઈ રાજ ભાષા નથી?" આટલું સાંભળતા જ જલવંત જીતનો નશો ચકનાચૂર થઈ ગયો. સિધ્ધરાજ જયસિંહ આખી રાત સુઈ ન શક્યો.


ગુજરાતી ભાષાની રચના 

પ્રભાત થતાં જ સિધ્ધરાજ જયસિંહનો નવી ભાષા બનાવે તેવા વિદ્વાન મહાપુરુષ જૈનાચાર્ય કલિકાલજ્ઞ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો ભેટો થયો. સંસ્કૃત, પ્રાકૃત, અને પાલી એમ ૩ ભાષાના વ્યાકરણનો શુક્ષ્મતાપુર્વક ઊંડો અભ્યાસ કરીને હેમચંદ્રાચાર્ય એ ઈ.સ. ૧૧૩૫માં ગુજરાતી ભાષાની રચના કરી.


સમાપન

તે સમયે હાથીની અંબાડી ઉપર બેસાડીને સર્વોચ્ચ સન્માન અપાતું હતું. હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત વ્યાકરણ ગ્રંથ "સિધ્ધ હેમ શબ્દાનુશાસન" ને હાથીની અંબાડી ઉપર સ્થાપિત કરીને તે સમયે ૧,૦૦,૦૦૦ ની વસ્તી ધરાવતા "અણહિલવાડ પુર" (પાટણ)માં તેની શોભાયાત્રા કાઢવામાં આવી. તે સમયે લગભગ ૧૫૦૦ જૈન સાધુઓએ આ ભાષા સમગ્ર ગુજરાત રાજ્યમાં શીખવી અને માત્ર ૫૦ વર્ષ પશ્વાત ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા ભરતેશ્વર બાહુબલી રાસ પણ લખાઈ. (ઈ.સ. ૧૧૮૫).

સંકલનકર્તા અજ્ઞાત 

As received

No comments:

Post a Comment