Showing posts with label Adil Mansuri. Show all posts
Showing posts with label Adil Mansuri. Show all posts

Oct 1, 2018

Ame to Khari gaya, Adil Mansuri, અમે તો ખરી ગયા

ફૂલોબની ભલેને અમે તો ખરી ગયા,
ખુશ્બૂથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

પ્રેમાગમાં બળીને પતંગા ઠરી ગયા,
કિંતુ શમાનું નામ તો રોશન કરી ગયા.

નૌકા હતી છતાંય હું ડૂબી ગયો ખુદા!
તરણું લઇને લોક તો સાગર તરી ગયા.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
વર્ષો જીવનનાં પાણી બનીને સરી ગયા.

જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી ઓર દુઃખમાં વધારો કરી ગયા.

– ‘આદિલ’ મન્સૂરી

Sep 3, 2016

Jyare pranay ni jag ma sharuat thai hase જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

Aapnu mukh joi man ma thay chhe- આપનું મુખ જોઇ મનમાં થાય છે


આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

Gazal - Manav na thai sakyo, pachhi Ishvar bani gayo, માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.